આજ વૃંદાવન આનંદસાગર

નરસિંહ મહેતા

આજ વૃંદાવન આનંદસાગર, શામળિયો રંગે રાસ રમે;

નટવર-વેશે વેણ વજાડે, ગોપી મન ગોપાળ ગમે.

એક એક ગોપી સાથે માધવ, કર ગ્રહી મંડળ માંહે ભમે;

તા થૈ તા થૈ તાન મિલાવે, રાગ-રાગણી માંહે ઘૂમે.

સોળ કલાનો શશિયર શિર પર,ઉડુગણ સહિત બ્રહ્માંડ ભમે;

ધીર સમીરે જમુના તીરે, તનના તાપ ત્રિવિધ શમે.

હરખ્યા સુરનર દેવ મુનિજન, પુષ્પવૃષ્ટિ કરે, ચરણ નમે;

ભણે નરસૈંયો ધન્ય વ્રજનારી, એને કાજે જે દેહ દમે.

••• ✦ •••

આ ભજન શેર કરો

ભજનાવલી.xyz • https://bhajanavali.xyz